vadavi baa aavi

વળાવી બા આવી

vadavi baa aavi

std 8 satra 2 second semester

vadavi baa aavi

Here is poem type sonet

vacation baad ghar ni sthiti kevi thay chhe,ane baa kevi vedanaa anubhave chhe teni vaat karavaamaa aavi che.

પ્રશ્ન 1.
વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે?
ઉત્તરઃ
વિદાયની આગલી રાતે વડીલોનાં ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું. પુત્રો, પુત્રવધૂઓ અને તેમનાં બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજે દિવસે તો તેમનાં સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતાં રહેવાનાં હતાં.

ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સૂમસામ ઘરમાં તેમણે સંતાનો વગરનું પોતાનું એકાકી જીવન વિતાવવાનું હતું.

પ્રશ્ન 2.
વિદાય થતા ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે?
ઉત્તરઃ
વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ “પ્રિયવચનમંદસ્મિતવતી’ કહી છે.

to play Quiz press start quiz

વળાવી બા આવી

પ્રશ્ન 1.
મણિલાલ દેસાઈનું ‘બાને” કાવ્ય (સૉનેટ) મેળવી શાળામાં રજૂ કરો.
ઉત્તર :

બાને

ગયાં વીતી વર્ષો દસ ઉપર બે – ચાર તુજથી
થશે જુદા, તોયે મુજ હૃદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા! તું નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.

હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થે કે, કંઈ સહજ વા ગેછ બદલી.

ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં જાય સમણાં !
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.

વધે છે. વર્ષો તો દિનદિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની?

– મણિલાલ દેસાઈ

કરસનદાસ માણેકનું ‘જ્યોતિધામ’ કાવ્ય મેળવી અભ્યાસ કરો.
ઉત્તર :

જ્યોતિધામ

મેં ગ્રંથોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં;
ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં;
અંધારામાં ઘુતિકિરણ એકાઈ યે પામવાને
મંદિરોનાં પથર પૂતળાં ખૂબ ઢંઢોળી જોયાં;
સંતોકેરા કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયાં;
એકાંતોના મશહૂર ધનાગાર ઉઘાડી જોયા;
ઊંડે ઊંડે નિજમહી સર્યો તેજકણ પામવાને,
વિષે વન્યા, પણ, સકલ ભંડાર મેં ખોલી જોયા!

Leave a Comment