std 6 guj 12

ગિરધર જન્મ : 1787 , અવસાન : 1852 .

કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો . તેમના પિતાનું નામ ગરબડદાસ . ‘ ગિરધરકૃત રામાયણ ’ અને ‘ રાજસૂયયજ્ઞ ’ તેમનાં જાણીતાં પુસ્તકો છે . ‘ ગિરધર ’ મૌલિક , કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથાનિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે . સીતાના સ્વયંવર માટે જનકરાજાએ દરબારમાં શિવજીએ આપેલું યંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે , તેની સાથે તેની પુત્રી સીતાનાં લગ્ન થશે . લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો . તેને પોતાના બળનું અભિમાન હતું . એ રુઆબભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ ઊપડ્યું નહિ અને તે ધનુષ્યતળે દબાઈ ગયો . તેની ભારે ફજેતી થઈ . એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે.

રાવણનું મિથ્યાભિમાન

Leave a Comment